દિયોદર ના ડુચકવાડા ગામે બનાસ બેંક દ્વારા ATM ખુલ્લું મુકવામાં આવ્યું

દિયોદર,

બનાસ બેંક દ્વારા ગ્રામીણ વિસ્તાર માં અનેક જગ્યા પર એ ટી એમ ખુલ્લા મુકવામાં આવી રહા છે. જેમાં આપણી બેંક બનાસ બેંક પાલનપુર ની દિયોદર ના ડુચકવાડા શાખા માં આજુબાજુ ના 10 થી 15 ગામો ના નાગરિકો ની સુવિધા તેમજ બેંક ના ગ્રાહકો ની સુવિધા માટે આધુનિક યુગ માં ડીઝીટલ ઇન્ડિયા ને સાકાર કરવા આજરોજ ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી પટેલ ના અધ્યક્ષ સ્થાને અને તેમની હસ્તે નવું એ ટી એમ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દૂધ મંડળી ના ચેરમેન રગનાથભાઈ એન પટેલ, જગદીશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી રામેશ્વરભાઈ જોષી, ગણપતસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ નરાણા વગેરે આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહા હતા.

રિપોર્ટર :  પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment